સત્ર ૧
ચેક-ઈન
(1 min)
તમામ સહભાગીઓ અને સહાયક ચેક-ઇન કરો.
Or six.zume.training/checkin and use code: 5678
પ્રાર્થના
(5 min)
પ્રાર્થનાથી શરૂઆત કરો. આધ્યાત્મિક સૂઝ અને પરિવર્તન પવિત્ર આત્મા વિના શક્ય નથી. આ સત્રમાં તમને માર્ગદર્શન આપવા માટે તેમને આમંત્રિત કરવા માટે એક જૂથ તરીકે સમય કાઢો.
ઝાંખી
(1 min)
આ સત્રમાં, આપણે આ ખ્યાલો સાંભળીશું અને તેની ચર્ચા કરીશું:
અને અમે આ સાધનોને અમારી ટૂલકિટમાં ઉમેરીશું:
- ઈશ્વર સામાન્ય લોકોનો ઉપયોગ કરે છે
- શિષ્ય અને મંડળીની સરળ વ્યાખ્યા
- ઈશ્વરનું સાંભળવું અને આજ્ઞાપાલન કરવું એ તો આત્મિક શ્વાસોચ્છવાસ છે
- SOAPS બાઇબલ વાંચન
- જવાબદાર જૂથો
READ
(5 min)
ઈશ્વર સામાન્ય લોકોનો ઉપયોગ કરે છે
ઝૂમે તાલીમ પર આપનું સ્વાગત છે. ઝૂમે એએક ગ્રીક શબ્દ છે જે "ખમીર" (યીસ્ટ) માટે વપરાય છે.
ઈસુ આપણને જણાવે છે કે દેવનું રાજ્ય એક સ્ત્રી જેવું છે જેણે થોડી માત્રામાં "ઝૂમે" લીધું અને કણક ના મોટો જથ્થા માં નાખ્યું.
જેમ જેમ તેણે મિશ્રણમાં ખમીરને ભેળવવા નું કામ કર્યું,તે ફેલાતું ગયું જ્યાં સુધી બધો કણક ઉભરાઇ ના જાય.
ઈસુએ આપણને બતાવ્યું હતું કે એક સામાન્ય વ્યક્તિ ખૂબ જ નાની વસ્તુ લઈને અને તેનો ઉપયોગ કરીને ખૂબ મોટીછાપ છોડી શકે છે!
આપણું સ્વપ્ન ઈસુએ જે કહ્યું તે કરવાનું છે - વિશ્વના સામાન્ય લોકોને મદદ કરવા નાના સાધનોનો ઉપયોગ કરીને પરમેશ્વર ના રાજ્ય માં મોટી અસર છોડવા માટે!
ઈસુએ તેમના અનુયાયીઓને આપેલી અંતિમ સૂચનાઓ સરળ હતી. તેણે કહ્યું - સ્વર્ગ અને પૃથ્વીનો તમામ અધિકાર મને આપવામાં આવ્યો છે. તેથી - જાઓ અને બધા દેશોના શિષ્ય બનાવો પિતા, પુત્ર અને પવિત્ર આત્માના નામે તેમને બાપ્તિસ્મા આપવી. તેઓને શીખવવું કે મેં જે આજ્ઞા કરી છે તે બધાનું પાલન કરો, અને હું હંમેશાં તમારી સાથે રહીશ - યુગના અંત સુધી.
ઈસુનો આદેશ સરળ હતો - શિષ્ય બનાવો
તે કેવી રીતે કરવું તે અંગેની સૂચનાઓ સરળ હતી - તમે જ્યાં જાવ છો ત્યાં શિષ્યો બનાવો
- પિતા, પુત્ર અને પવિત્ર આત્માના નામે બાપ્તિસ્મા આપીને શિષ્યો બનાવો
- તેમણે જે શીખવ્યું છે તેનું પાલન કરવાનું શીખવાડી ને તેમને શિષ્યોબનાવો.
તો શિષ્ય બનાવવાના પગલાં શું છે?
- આપણે દરેક સમયે શિષ્યો બનાવવા - જ્યાં પણ આપણે જઈએ છીએ અને જવાના છીએ
- જ્યારે કોઈ ઈસુને અનુસરવાનું નક્કી કરે છે - ત્યારે તેણે બાપ્તિસ્મા લેવી જોઈએ
- જેમ જેમ તેમનો વિકાસ થાય છે - આપણે દરેક શિષ્યને શીખવવું જોઈએ કે ઈસુએ જે આદેશ આપ્યો છે તે બધાનું કેવી રીતે પાલન કરવું.
તેમણે આપેલા આદેશોમાંથી એકઆદેશ શિષ્યો બનાવવાવિષે છે, તેનો અર્થ ઈસુને અનુસરતા દરેક શિષ્યને પણ શિષ્યો કેવી રીતે બનાવવા તે શીખવાની જરૂર છે.
તે શિષ્યો એ શિષ્યો બનાવવાજોઈએ. અને તેમના શિષ્યોએ પણ શિષ્યો બનાવવા જોઈએ.
શિષ્યોનો ગુણાકાર.-ઝૂમે આ જ કામ કરે છે.
તે ખમીર જેવું છે - બધી કણક જ્યાં સુધી ઉભરાઇ ના જાય ત્યાં સુધી કામ કર્યારાખે.
જ્યારે ઈસુએ શિષ્યો બનાવવાનો આ આદેશ આપ્યો ત્યારે તેમણે એક વચન પણ આપ્યું.
ઈસુએ કહ્યું - હું હંમેશા તમારી સાથે રહીશ. યુગ ના અંત સુધી.
ઈસુના દરેક અનુયાયીઓએઆ વચન પર વિશ્વાસ રાખવો જોઈએ કે ઈસુ હંમેશાંઆપણી સાથે છે. કારણ કે તેઓ છે!
પરંતુ તેનો અર્થ એ પણ છે કે ઈસુના દરેક અનુયાયીઓ એ હકીકત માટે કટિબદ્ધ થવું જોઈએ કે ઈસુ આપણા દરેક પાસે શિષ્યો બનાવવાની ઇચ્છા રાખે છે. કારણ કે તેઓ રાખે છે.
ઈસુએ કહ્યું - સ્વર્ગ અને પૃથ્વીનો તમામ અધિકાર મને આપવામાં આવ્યો છે. તેથી જાઓ અને શિષ્યો બનાવો.
જ્યારે ઈસુ આપણને મોકલે ત્યારે જે સત્તા પર તેઓ આધાર રાખે છે - તે તેમની સત્તા છે.
ઈસુ કહે છે કે તેનાથી વધુ કોઈને સત્તા નથી. કોઈ પરંપરાને વધારે સત્તા નથી.
કોઈ સંસ્કૃતિને વધારે સત્તા નથી. પૃથ્વી પરના કોઈપણ કાયદામાં વધુ સત્તા નથી.
ઈસુએ કહ્યું - જાઓ અને શિષ્યો બનાવો.
અને ઝૂમેની જેમ - ખમીરની જેમ - આપણે જ્યાં સુધી બધા કાર્ય પૂર્ણ ન થાય ત્યાં સુધી આગળ વધતા રહીશું.
ચર્ચા કરો
(10 min)
- જો ઈસુએ પોતાના દરેક શિષ્યોને પોતાની મહાન આદેશ ની આજ્ઞાનું પાલન કરવાનું કહ્યું હોય, તો પછી બહુ ઓછા લોકો શા માટે શિષ્યો બનાવે છે?
READ
(5 min)
શિષ્યો અને ચર્ચ
ઝુમે તાલીમ પર આપનું ફરીથી સ્વાગત છે. આ સત્રમાં, આપણે શિષ્યો અને મંડળી વિશે વાત કરીશું.
શિષ્ય એટલે શું? અને તમે કેવી રીતેકોઈને બનાવશો?
તમે ઈસુના અનુયાયીને તેની બધી જ આજ્ઞાઓનું પાલન કરવા કેવી રીતે શીખવશો? જેમણે તેમનું જીવન વિશ્વના બંદી બનીને જીવ્યું હોય તેનેપરમેશ્વર ના રાજ્યના નાગરિક બનવા માટેકઈ રીતે સજ્જ કરશો?
શિષ્ય શબ્દનો અર્થ અનુયાયી છે. તેથી શિષ્ય પરમેશ્વર નો અનુયાયી છે. ઈસુએ કહ્યું - સ્વર્ગ અને પૃથ્વીની તમામ સત્તા મને આપવામાં આવી છે. તેથી દેવના રાજ્યમાં, ઈસુ આપણા રાજા છે. આપણે તેમના નાગરિકો છીએ, તેમની ઇચ્છાને આધીન. તેની ઇચ્છાઓ,હેતુઓ,ઇરાદાઓ, અગ્રતા અને મૂલ્યો સૌથી ઉચ્ચ અને શ્રેષ્ઠ છે. તેમના શબ્દ કાયદો છે. તો રાજ્યનો કાયદો શું છે?ઈસુએ તેમના નાગરિકોને શું કરવાનું કહ્યું છે?
ઈસુએ કહ્યું - દેવ ને તમારાપૂરા હૃદયથી,તમારા આત્માથી, તમારા પૂરા મનથી અને તમારી બધી શક્તિથી પ્રેમ કરો. ઈસુએ કહ્યું - તમારા પાડોશીને પોતાની જાત પ્રમાણે પ્રેમ કરો. ઈસુએ કહ્યું કે જૂના ટેસ્ટામેન્ટમાં થી દેવના આદેશો - બધા નિયમ અને પ્રબોધકોનો - આ બે બાબતોમાં સારાંશ આપી શકાય છે -દેવ ને પ્રેમ કરો અને લોકોને પ્રેમ કરો. ઈસુએ કહ્યું - શિષ્યો બનાવો. ઈસુએ કહ્યું - તેમને મારી આપેલી બધી આજ્ઞાનું પાલન કરવાનું શીખવો.
શિષ્યો બનાવવાનો અર્થ એ છે કે તે બધાને ઈસુએ જે આદેશ આપ્યો તે શીખવવાનો છે - નવા ટેસ્ટામેન્ટનો આ એક વાત માં સારાંશ આપી શકાય - શિષ્ય બનાવો.
શિષ્ય ઈસુનો અનુયાયી છે જે દેવને પ્રેમ કરે છે, લોકોને પ્રેમ કરે છે અને શિષ્ય બનાવે છે.
તો મંડળી એટલે શું?
તમે મંડળી(ચર્ચ ) ને બિલ્ડિંગ તરીકે વિચારવાના આદી હોઇ શકો છો - તે જગ્યા જ્યાં તમે જાઓ છો. પરંતુ પરમેશ્વર ના શબ્દ માં,મંડળી ભેગા થવા વિશે વાત કરે છે - તે લોકો જેને તમે જાણો છો.
બાઇબલમાં "મંડળી " શબ્દનો ઉપયોગ ત્રણ જુદી જુદી રીતે કરવામાં આવે છે:
- સાર્વત્રિક મંડળી - તે બધા લોકો જે ઈસુના અનુયાયીઓ હતા,છે અને રહેશે
- શહેરની અથવા પ્રાદેશિક મંડળી - એવા બધા લોકો જે ઈસુને અનુસરે છે અને વિશ્વના કોઈ ચોક્કસ વિસ્તારમાં અથવા તેની આસપાસ રહે છે
- ઘરનીમંડળી - બધા લોકો જે ઈસુને અનુસરે છે અને જ્યાં એક અથવા વધુ લોકો સાથે રહે છે.
એક આધ્યાત્મિક કુટુંબ - ઈસુના અનુયાયીઓ જે દેવને પ્રેમ કરે છે, લોકોને પ્રેમ કરે છે અને શિષ્ય બનાવે છે અને જે સ્થાનિક રીતે મળે છે તે આ છેલ્લા પ્રકારનું મંડળી બનાવે છે - ઘરમાંમંડળી અથવા સરળમંડળી .
જ્યારે આ સરળ મંડળી ના જૂથો કંઈક મોટું કરવા માટેભેગા થાય છે, ત્યારે તેઓ એક શહેરની અથવા પ્રાદેશિક મંડળી બનાવી શકે છે.
તે બધી સરળ મંડળી,પ્રદેશોમાં સંકડાયેલા છે અને સમગ્ર ઇતિહાસમાં વિસ્તરીને સાર્વત્રિક મંડળી બનાવે છે.
આ બધા કેપિટલ "સી" સાથેના ચર્ચ (મંડળી )છે
**સરળ મંડળી, તેમના કેન્દ્ર અને તેમના રાજા તરીકે ઇસુને અપનાવ્યા હોય એવા આધ્યાત્મિક પરિવારો છે. **સરળ મંડળી એ આધ્યાત્મિક કુટુંબ છે જે પરમેશ્વર ને પ્રેમ કરે છે,બીજાઓને પ્રેમ કરે છે અને શિષ્ય બનાવે છે જે શિષ્યો નો ગુણાકાર કરે છે. કેટલાક દેવળો માં મકાનો અનેકાર્યક્રમો અને અંદાજ પત્ર અને કાર્યકર્તાઓ હોય છે. પરંતુ સરળ મંડળી ને પરમેશ્વર ને પ્રેમ કરવા, બીજાઓને પ્રેમ કરવા અને શિષ્ય બનાવવા જે ગુણાકાર કરે છે તે માટે આમાંથી કોઈ પણ વસ્તુની જરૂર નથી. અને વધારાનું કંઈપણ, એક મંડળી ને ગુણાકાર કરવાનું વધુ જટિલ અને મુશ્કેલ બનાવે છે, અમારી તાલીમ મકાનો અને કાર્યક્રમો અનેઅંજાદપત્ર અનેકાર્યકર્તા જેવી ચીજોને શહેર અથવા પ્રાદેશિક દેવળો માટે છોડી દે છે, જે સરળ મંડળી ના ગુણાકારથી બનાવેલા છે.
યાદ રાખો કે "ઝુમે" નો અર્થ "ખમીર" છે - એક સરળ, એક જ કોષ જીવતંત્ર જે ઝડપથી પુનરુત્પાદન કરાવે છે.
ઝુમે તાલીમ સાથે - આપણે તે ખમીર જેવા બનીશું - સરળ અને ગુણાકારકરનારા. પરંતુ આપણે ગુણાકાર કરવાનું શરૂ કરતા પહેલા - ચાલો ખાતરી કરી લઈએ કે આપણે જાણીએ છીએ કે દેવ શું ફરીથી ઉત્પન્ન કરવવા માંગે છે. કારણ કે ગુણાકાર સારો હોઈ શકે છે - પરંતુ હંમેશાં નહીં. કેન્સર ગુણાકારથી થાય છે. અને તે જીવલેણ છે. તો પછી આપણે જીવનને કેવી રીતે ઉત્પન્ન કરીશું અને મૃત્યુને નહીં ? અને આપણે કેવી રીતે ખાતરી કરી શકીએ કે આપણે ફરીથી પુનરુત્પાદન કરવા યોગ્ય શિષ્ય છીએ?
ચર્ચા કરો
(10 min)
- જ્યારે તમે ચર્ચ વિશે વિચારો છો, ત્યારે તમારા મનમાં શું આવે છે?
- તે ચિત્ર અને વિડિઓમાં "સરળ ચર્ચ" તરીકે વર્ણવવામાં આવ્યું છે તેમાં શું તફાવત છે?
- તમને લાગે છે કે કયું ગુણાત્મક કરવું વધુ સરળ હશે અને શા માટે?
READ
(5 min)
સાંભળવું અને ઈશ્વરની આજ્ઞાનું પાલન કરવું
ઝુમે તાલીમ પર તમારું ફરીથી સ્વાગત છે. આ સત્રમાં, આપણેદેવ પાસેથી સાંભળવાની અને આપણે જે સાંભળીએ છીએ તેનું પાલન કરવાની વાત કરીશું.
શ્વાસ લેવું એ જીવન છે. આપણે શ્વાસ લઈએ છીએ. આપણે શ્વાસ છોડીએ છીએ.તે જીવનછે.
દેવ ના રાજ્યમાં શ્વાસ લેવાનું એટલું જ મહત્વપૂર્ણ છે. હકીકતમાં, દેવ તેમના આત્માને કહે છે - "શ્વાસ"
રે આપણે શ્વાસ લઈએ છીએ. જ્યારે આપણે દેવ ના શબ્દ,તેમના દ્વારા સાંભળીએ ત્યારે આપણે શ્વાસ લઈએ છીએ.- બાઇબલ. જ્યારે આપણે પ્રાર્થના દ્વારા દેવ તરફથી સાંભળીએ ત્યારે આપણે શ્વાસ લઈએ છીએ - તેની સાથેની આપણી વાતચીત. આપણે તેમના શરીર દ્વારા દેવ નો અવાજ સાંભળીએ ત્યારે આપણે શ્વાસ લઈએ છીએ-દેવળ , ઈસુના અન્ય અનુયાયીઓ. જ્યારે આપણે તેમના કામો દ્વારા દેવપાસેથી સાંભળીએ છીએ ત્યારે આપણે શ્વાસ લઈએ છીએ - ઘટનાઓ, અનુભવો અને કેટલીક વખતતો સતાવણી અને વેદનાઓ પણ તેમના બાળકોનેતે સહન કરવા દે છે.
રાજયમાં જ્યારે આપણે દેવ પાસેથી જે સાંભળીએ છીએ તેના પર કાર્ય કરીએ છીએ ત્યારે આપણે શ્વાસ લઈએ છીએ. જ્યારે આપણે આજ્ઞા નું પાલન કરીએ છીએ ત્યારે આપણે શ્વાસ લઈએ છીએ.
કેટલીકવાર આજ્ઞા નું પાલન કરીને શ્વાસ લેવાનો અર્થ થાય છે આપણાં વિચારો,આપણાં શબ્દો અથવા આપણી ક્રિયાઓ બદલવીને,ઇસુ અને તેમના આદેશ પ્રમાણે વર્તતા શીખવું.
કેટલીકવા આજ્ઞા નું પાલન કરીને શ્વાસ લેવાનો અર્થ થાય છે કે ઈસુએ આપણી સાથે જ વેહચ્યું છે તે બીજાને વહેંચવું - જે તેમણે આપ્યું છે તે આપવું - જેથી દેવ આપણને જેમ આશિષ આપે છે તે રીતે બીજાઓને પણ આશિષ મળે.
ઈસુના અનુયાયી માટે - આ શ્વાસ લેવો અને શ્વાસ છોડવો એ મહત્વપૂર્ણ છે. તે જે આપણું પોતાનું જીવન છે. ઈસુએ કહ્યું - દીકરો જાતે કંઈ કરી શકતો નથી. તે એટલું જ કરી શકે છે જે તે પિતાને કરતા જુએ છે, જે પિતા કરે છે તે પુત્ર પણ કરે છે.
ઈસુએ કહ્યું - હું મારી પોતાની સત્તા પર બોલતો નથી. મને મોકલનાર પિતાએ મને આદેશ આપ્યો છે કે શું બોલવું અને કેવી રીતે બોલવું.
ઈસુએ કહ્યું કે તેમણે બોલેલા દરેક શબ્દો અને તેમણે પૂર્ણ કરેલા દરેક કામો દેવ ની સુનાવણી અને તેમણે જે સાંભળ્યું તેના આધારે છે.
શ્વાસ લો - દેવ પાસેથી સાંભળો. શ્વાસ બહાર કાઢો - તમે જે સાંભળો છો તેનું પાલન કરો અને તેને અન્ય લોકો ને જણાવો.
ઈસુએ કહ્યું કે તેમના અનુયાયીઓ પણ તેમના પવિત્ર આત્માને કારણે દેવ પાસેથી સાંભળશે - તેમના શ્વાસ - જે આપણાં માના તેમને અનુસરે છે તે દરેકના શ્વાસમાં લેવામાં આવશે.
ઈસુએ કહ્યું - સહાયક, પવિત્ર આત્મા, જેને પિતા મારા નામે મોકલશે, તે તમને બધી બાબતો શીખવશે અને મેં તમને જે કહ્યું છે તે બધું તમને યાદ કરાવી દેશે.
શ્વાસ લો - દેવ પાસેથી સાંભળો. શ્વાસ બહાર કાઢો - તમે જે સાંભળો છો તેનું પાલન કરો અને તેને અન્ય લોકોને જણાવો.
ઈસુએ આપણ ને બતાવ્યું કે કેવી રીતે જીવવું.
તો આપણે દેવ નો અવાજ કેવી રીતે સાંભળી શકીએ? આપણે શેનું પાલન કરવું તે કેવી રીતે જાણી શકીએ?
ઈસુએ પોતાને "સારો ભરવાડ " કહ્યું. ઈસુએ તેમના અનુયાયીઓને તેમના "ઘેટાં" કહ્યા. ઈસુએ કહ્યું - મારા ઘેટાં મારો અવાજ સાંભળે છે, અને હું તેમને જાણું છું, અને તેઓ મારી પાછળ આવે છે. ઈસુએ કહ્યું - જે કોઈ દેવ નો છે તે દેવ ની વાતો સાંભળે છે.જો તમે સાંભળતા નથી તેનું કારણ એ છે કે તમે દેવ ના નથી.
ઈસુના અનુયાયીઓ તરીકે, આપણે તેનો અવાજ સાંભળવા કટિબદ્ધ બનવું પડશે.
- આપણેસ્થિર રહીને તેમનો અવાજ સાંભળીએ છીએ.
- ઈસુ પર ધ્યાન કેન્દ્રિત કરીને આપણે તેમનો અવાજ સાંભળીએ છીએ.
- આપણે તેમનો અવાજ, આપણા વિચારો, દ્રષ્ટિકોણ, આપણી લાગણી અને પ્રભાવ માં સાંભળીએ છીએ.
- આપણે તેમનો અવાજ ત્યારે સાંભળીએ છીએ જ્યારે આપણે લખીએ છીએ જેઆપણે સાંભળીએ છીએ અને તે ચકાસીએ છીએ.
દરેક અવાજ, દરેક વિચાર, દરેક દ્રષ્ટિ, લાગણી અથવા પ્રભાવદેવ નો અવાજ નથી. કેટલીકવાર તે દુશ્મનનો અવાજ હોય છે. ઈસુએ કહ્યું કે આપણો દુશ્મન જૂઠો છે અને જૂઠાઓનો બાપ છે. ઈસુએ કહ્યું કે આપણો દુશ્મન ચોરી કરવા, મારવા અને નાશ કરવા આવે છે.
પરંતુ દેવ કહે છે કે આપણે તેમની પાસેથી સાંભળીશું અને જ્યારે તેઓ બોલે ત્યારે આપણે જાણીશું કે તે તેઓ જ છે. અભ્યાસ અને પ્રાર્થનાથી આપણે દેવ ના અવાજને વધુ સારી રીતે જાણી શકીએ છીએ. આપણે જે સાંભળીએ છીએ તે ઈશ્વરનો અવાજ છે કે અન્યનો તે જાણવાનું આપણે શીખી શકીએ છીએ.
આપણે જે સાંભળીએ છીએ તે ચકાસવાની કેટલીક રીતો અહીં છે:
- જ્યારે ઈસુ બોલે છે - તેનો અવાજ હંમેશાં તેના લખેલા શબ્દ - બાઇબલ - જે આપણ ને પહેલેથી જ કહ્યા છે તેનાથી સુસંગત રહેશે. તેમનો બોલતો અવાજ તેમના લેખિત અવાજનો ક્યારેય વિરોધાભાસ કરશે નહીં.
- જ્યારે ઈસુ બોલે છે - તેમનો અવાજ આપણા હૃદયને આશા અને શાંતિની ભાવના આપશે. તેમનો અવાજ આપણ નેનીંદિત અથવા નિરાશ નહીં છોડશે. ઈસુ નિંદા નથીકરતાં. ઈસુ પ્રેમથી સુધારે છે.
- ઈસુનો અવાજ માંસના કાર્યોને વ્યક્ત કરશે નહીં - જાતીય અનૈતિકતા અને અશુદ્ધિઓ, બદનક્ષી, મૂર્તિપૂજા અને જાદુગરી, દ્વેષ અને વિસંગતતા, ઈર્ષ્યા અને ક્રોધાવેશ, સ્વાર્થી મહત્વાકાંક્ષાઓ, મતભેદો, જૂથો અને ઈર્ષ્યા, નશાખોરી અને મધપાન. આ વસ્તુઓ દેવ ના અવાજમાંથી નથી.
- જ્યારે ઈસુ બોલે છે - તેમનો અવાજ દેવ ના આત્માના ફળ - પ્રેમ અને આનંદ, શાંતિ અને ધૈર્ય, દયા અને દેવતા, વફાદારી, નમ્રતા અને આત્મ-નિયંત્રણને વ્યક્ત કરશે.
- જ્યારે ઈસુ બોલે છે - તેમનો અવાજ આપણ ને શંકાને બદલે આત્મવિશ્વાસની ભાવના આપે છે. આપણે આપણી અંદર એક જ્ઞાન અને શાંતિ અનુભવીએ છીએ કે આપણે જે સાંભળીએ છીએ તે દેવ તરફથી છે. આપણે કદાચ એક સાથે બધી વસ્તુ સાંભળી ન શકીએ. આપણને જે જાણવાની જરૂર હશે તેનો ફક્ત એક જ ભાગ આપણે સાંભળી શકીએ છીએ. પરંતુ આપણે જે સાંભળીશું તે નક્કર હશે - સ્થળાંતર અથવા બદલાશે નહીં.
ઈસુના દરેક અનુયાયીઓ માટે એક સારા સમાચાર એ છે કે જ્યારે આપણે શ્વાસ લઈએ છીએ અને દેવ નો અવાજ સાંભળીએ છીએ અને જ્યારે આપણે શ્વાસ છોડીને જે આપણે સાંભળ્યું છે તેનું પાલન કરીને અન્ય લોકો સાથે વેહચીએ છીએ જે આપણે સંભાળ્યું છે - દેવ હજી વધુ સ્પષ્ટ રીતે બોલે છે.
તેમના શ્વાસ આપણા દ્વારા વધુ શ્વાસ લેશે.
આપણે તેમનો અવાજ વધુ સ્પષ્ટ રીતે સાંભળીશું. આપણે તેમના અવાજને જાણીશું અને બીજાના નહીં. અમે વિશ્વમાં તેમના કાર્ય જોશું અને તેમાં જોડાવા અને તેમની સાથે કામ કરવામાં સમર્થ થઈશું.
આપણે શ્વાસ લઈએ છીએ. આપણે શ્વાસ છોડીએ છીએ.તે જીવનછે.
ચર્ચા કરો
(10 min)
- શા માટે ઈશ્વરનો અવાજ સાંભળતાં અને ઓળખતાં શીખવું જરૂરી છે?
- શું સાંભળવું અને ઈશ્વરને પ્રતિસાદ આપવો એ ખરેખર શ્વાસ લેવા જેવું છે? શા માટે કે કેમ નહીં?
READ
(5 min)
S.O.A.P.S. બાઇબલ વાંચન
ઈસુએ કહ્યું - "બધા દેશોના શિષ્યો બનાવો, તેમને પિતા, પુત્ર અને પવિત્ર આત્માના નામે બાપ્તિસ્મા આપો અને મારા આદેશનું પાલન કરવા શીખવો"
જો ઈસુનો દરેક અનુયાયી ઈસુની આજ્ઞાનું પાલન કરવા માંગતો હોય, તો પછી તેઓને ઈસુના આદેશ જાણવાની જરૂર છે.
મહાનઆજ્ઞા અને મહાન પ્રતિનિધિ મંડળ એ દેવ આપણને શું કહેવા માંગે છે પરંતુ કોઈ અનુયાયી,પરમેશ્વરે તેમને જે બનાવવા નિર્માણ કર્યું છે તેમાં સંપૂર્ણ રીતે વધવા જઈ રહયા હોય, તો તેઓએ વધુ જાણવા અને પાલન કરવાની જરૂર છે.
સોપ નો અર્થ છે:
- ધર્મ શાસ્ત્ર
- અવલોકન
- **પાલન **
- પ્રાર્થના અને
- વેહચવું
ઈસુના કોઈપણ અનુયાયી માટે ઉપયોગીઅને અસરકારક બાઇબલ અભ્યાસ પદ્ધતિને શીખવાની અને યાદ રાખવાની આ સરળ રીત છે. ચાલો દરેક વિભાગને વધુ વિસ્તાર થી જોઈએ.
જ્યારે તમે બાઇબલ વાંચો અથવા સાંભળો:
- ધર્મશાસ્ત્ર : આજે, તમને ખાસ અર્થપૂર્ણ લાગ્યા હોય એવા એક અથવા વધુ છંદો લખો.
- અવલોકન: તેના અર્થને વધુ સારી રીતે સમજવા માટે તે છંદો અથવા તે મુદ્દાઓના મુખ્ય શબ્દો તમારા પોતાના શબ્દોમાં ફરીથી લખો.
- પાલન: તમારા જીવનમાં આ આદેશો અથવા છંદો નું પાલન કરવાનો અર્થ શું છે તે વિશે વિચારો.તમે અલગથી શું કરવું પડશે? આવિશે લખો.
- પ્રાર્થના: દેવ ને એક પ્રાર્થના લખો, કે તમે તેમના શબ્દમાં શું વાંચ્યું છે અને તેમના આદેશોનું પાલન કરવા વિશે શું શીખ્યા છો અને તે કામ વિશે તમે શું કરો છો
- વેહચવું: તમે જે શીખો છો અને પાલન કરી રહ્યાં છો,દેવને પૂછો કે કોની સાથે તમને તે વેહંચવા માંગે છે
તો ચાલો સોપ ને કાર્ય કરવા દો:
- ધર્મશાસ્ત્ર - બાઇબલ કહે છે - "કેમ કે મારા વિચારો તે તમારા વિચારો નથી, તેમ તમારા માર્ગો તે મારા માર્ગો નથી," દેવ કહે છે. " જેમ આકાશો પૃથ્વીથી ઊંચા છે,તેમ મારા માર્ગો તમારા માર્ગો થી ને મારા વિચારો તમારા વિચારો થી ઉંચા છે." યશાયા ૫૫: ૮-૯
- અવલોકન - એક માણસ તરીકે, હું જે જાણું છું અને મને શું કરવું તે વિશે મર્યાદિતજાણું છું . દેવ કોઈ પણ રીતે મર્યાદિત નથી. તે બધું જુએ અને જાણે છે. તે કંઈપણ કરી શકે છે.
- પાલન - દેવ બધું જ જાણે છે અને તેમની રીતો શ્રેષ્ઠ છે, તેથી હું જીવનમાં વધુ સફળતા પ્રાપ્ત કરીશ જો હું મારા કાર્યો કરવાની રીત ને બદલે તેમને અનુસરીશ.
- પ્રાર્થના - પ્રભુ, હું સુખી જીવન જીવવા ની રીત જાણતો નથી જે તમને ખુશ અને અન્યને મદદ કરે છે. મારી રીતો થી ભૂલો થાય છે. મારા વિચારોથી નુકસાન થાય છે. કૃપા કરીનેમને તમારી રીતો અને વિચારો શીખવો. તમારી પવિત્ર આત્મા નેમને માર્ગદર્શન કરવા દો.
- વેહચવું - હું આ છંદો અનેનિયમો મારા મિત્ર સ્ટીવને જણાવીશ , જે મુશ્કેલીમાં છે અને તેને જે નિર્ણયોનો સામનો કરવાનો છે તેના માટે તેને દિશાની જરૂર છે.
સોપ બાઇબલ અભ્યાસ. ઝૂમ ના સાધનો માંનું એક સરળ સાધન.
પ્રવૃત્તિ
(30 min)
SOAPS બાઇબલ અભ્યાસ
ક્યુ આર કોડ સ્કેન કરો.
માત્થી ૬:૯-૧૩નો ઉપયોગ કરીને બાઇબલ અભ્યાસ પદ્ધતિ દ્વારા વ્યક્તિગત રીતે કામ કરો. (૨૦ મિનિટ)
સાથે પાછા ફરો અને તમારા S.O.A.P.S. ને બે કે ત્રણના જૂથમાં વહેંચો. (૧૦ મિનિટ)
પવિત્રશાસ્ત્ર
આજે તમને વિશેષ અર્થપૂર્ણ લાગતી હોય એવી એક કે વધારે કલમો લખી લો.
અવલોકન
વધારે સારી રીતે સમજવા માટે એ કલમો અથવા ચાવીરૂપ મુદ્દાઓને તમારા શબ્દોમાં ફરીથી લખી લો.
લાગુકરણ
તમારા પોતાના જીવનમાં આ આજ્ઞાઓને આધીન થવાનો અર્થ શો થાય છે, એ સબંધી વિચાર કરો.
પ્રાર્થના
તમે જે કંઈ શીખ્યા છો અને તેને આધીન થવા માટે તમે જે કંઈ વિચારી રહ્યા છો, એ વિષે ઈશ્વરને વાત કરતી અક પ્રાર્થના લખી લો.
બીજાઓ સમક્ષ વાત કરવી
તમે જે કંઈ શીખ્યા છો / અમલમાં મૂક્યું છે, એ વિષે તમે કોની સમક્ષ વાત કરો એ સબંધી ઈશ્વરની ઈચ્છા જાણવા તમે તેમને વિનંતી કરો.
હવે, ચાલો, આપણે સોપ્સ (એસ.ઓ.એ.પી.એસ.) નો ઉપયોગ કરીએ:
એસ - કેમ કે મારા વિચારો તે તમારા વિચારો નથી, તેમ તમારા માર્ગો તે મારા માર્ગો નથી, એમ યહોવા કહે છે. જેમ આકાશો પૃથ્વીથી ઊંચા છે, તેમ મારા માર્ગો તમારા માર્ગોથી, અને મારા વિચારો તમારા વિચારોથી ઊંચા છે. (યશાયા ૫૫:૮-૯)]
ઓ - એક માનવી તરીકે, હું જે કંઈ જાણું છું અને મારે કેવી રીતે કાર્ય કરવું જાઈએ એ સંબંધી જાણવામાં મારી મર્યાદાઓ છે. ઈશ્વર કોઈપણ રીતે સીમીત નથી. તે દરેક બાબતને નિહાળે છે અને દરેક સમજે છે. તે કોઈપણ બાબત કરી શકે છે.
એ - ઈશ્વર દરેક બાબતને સમજે છે અને તેમના માર્ગો ઉત્તમ છે,તેથી કાર્યો કરવાની બાબતો હું મારા પોતાના માર્ગો પર આધાર રાખવાને બદલે જા હું ઈશ્વરને અનુસરીશ, તો મારા જીવનમાં હું વધારે સફળતાઓ પ્રાપ્ત કરીશ.
પી - ઓ, પ્રભુ તમને પસંદ પડે તથા બીજાઓને મદદરૂપ થાય એવું એક ઉત્તમ જીવન કેવી રીતે જીવવું, તેની મને ખબર નથી. મારા વિચારો મને નુકશાન પહોંચાડે છે. એને બદલે કૃપા કરીને મને તમારા માર્ગો અને તમારા વિચારો શીખવો. હું જ્યારે તમારી પાછળ ચાલતો હોઉં છું ત્યારે તમારા પવિત્ર આત્માને મને દોરવણી આપવા દો.
એસ - હું આ કલમો તથા આ લાગુકરણ સંબંધી સ્ટીવ નામના મારા મિત્ર સાથે વાત કરીશ કે જે એક કપરા સમયમાંથી પસાર થઈ રહ્યો છે; અને જે પરિસ્થિતિનો સામનો તેણે કરવો પડી રહ્યો છે, એ માટે મહત્ત્વપૂર્ણ નિર્ણયો લેવા માટે તેને માર્ગદર્શનની જરૂર છે.
READ
(5 min)
જવાબદારી પૂર્ણ જૂથો
ઈસુએ કહ્યું - "દરેકને, જેને ઘણું આપવામાં આવ્યું છે,તેમની પાસેથી ખૂબ માંગ કરવામાં આવશે; અને જેમની પાસે વધારે સોંપવામાં આવ્યું છે તેમની પાસેથી ઘણું વધારે માંગવામાં આવશે."
ઈસુએ જવાબદારીની ઘણી વાર્તાઓ કરી છે અને આપણે જે કરીએ અનેકહીયે છીયે તેના માટેકેવી રીતે જવાબદાર હશું તેની ઘણી સત્ય વાતો જણાવીછે.
ઈસુએ આ બાબતો આપણનેહમણાં કહી છે, જેથી પછી માટે તૈયાર રહીએ. કેમ કે એક દિવસ તેમના પ્રત્યે જવાબદાર હોઈશું, તેથી હમણાં એક બીજા માટે જવાબદાર બનવાનો પ્રયત્ન કરવો સારું છે.
જવાબદાર જૂથો એક જ જાતિના બે કે ત્રણ લોકોથી બને છે - પુરુષો સાથે પુરુષો, મહિલા સાથે મહિલાઓ - જે અઠવાડિયામાં એકવાર એવા પ્રશ્નોની ચર્ચા કરવા માટે મળે છે કે કઈ વસ્તુઓ બરાબર થઈ રહી છે અનેકયા ક્ષેત્રો માં સુધારણાની જરૂર છે.
ઈસુના દરેક અનુયાયીને જવાબદાર ગણવામાં આવશે, તેથી તેમણે અન્ય લોકો સાથે જવાબદારીનો અભ્યાસ કરવો જોઈએ.
જવાબદાર જૂથો. ઝૂમ સાધનો માં નું બીજું એક સરળ સાધન.
પ્રવૃત્તિ
(20 min)
જવાબદારી જૂથો
ક્યુ આર કોડ સ્કેન કરો.
એક જ લિંગના બે કે ત્રણ લોકોના જૂથોમાં પ્રવેશ કરો.
જવાબદારી વાળા જૂથો પ્રશ્નો દ્વારા સાથે મળીને કામ કરવામાં આગામી ૨૦ મિનિટ વિતાવો.
- શું તમે ઈશ્વરને કાર્ય કરતાં નિહાળ્યા છે ?
- શું તમે તમારા શબ્દો અને કૃત્યો મારફતે આ અઠવાડિયે ઈસુ ખ્રિસ્તના મહાનપણાને પ્રગટ કરતી સાક્ષી પૂરી છે ?
- શું તમારી સમક્ષ જાતીય વૃત્તિને ઉત્તેજીત કરનાર કોઈ બાબત પ્રગટ થઈ છે ખરી કે જેને પરિણામે તમારા મનમાં જાતીય વ્યવહાર કરવાને લગતા અયોગ્ય વિચારો આવ્યા હોય ?
- નાણાંનો ઉપયોગ કરવાની બાબતમાં તમે ક્યારેય એવો વિચાર કર્યો છે કે એ નાણાંના માલિક તો ઈશ્વર પોતે છે ?
- શું તમે કોઈ બાબતનો લોભ રાખ્યો છે ?
- શું તમે તમારી વાણી મારફતે કોઈકના મોભા કે લાગણીઓને ઠેસ પહોંચાડી છે ?
- શું તમે તમારી વાણી કે વર્તનમાં અપ્રમાણિક બન્યા છો ? અથવા તો અતિશયોક્તિ દેખાડી છે ?
- શું તમે કોઈ વ્યસનના બંધાણી બનીને અયોગ્ય રીતે વર્ત્યા છો (જેમાં આળસ કે અશિસ્ત પ્રગટ થતી હોય) ?
- શું તમે વસ્ત્રપરિધાન, મિત્રો, પ્રવૃત્તિ કે ધનદોલતના ગુલામ બની ગયા છો ?
- શું તમે કોઈકને માફ કરવાની બાબતમાં નિષ્ફળ ગયા છો ?
- તમે કેવા પ્રકારની ચિંતાઓ કે બેચેનીનો સામનો કરી રહ્યા છો ?
- શું તમે ફરિયાદ કે કચકચ કરી છે ?
- શું તમે આભારીભાવ સાથેનું હૃદય જાળવી રાખ્યું છે ?
- શું તમે તમારા મહત્ત્વપૂર્ણ સંબંધોમાં બીજાઓનો આદર રાખનારા, સમજુ અને ઉદાર રહ્યા છો ?
- વિચાર, વાણી અને વર્તનમાં તમારે કયા કયા પરીક્ષણોનો સામનો કરવો પડ્યો હતો અને તમારો પ્રતિભાવ કેવો હતો ?
- બીજાઓ અને વિશેષ કરીને વિશ્વાસીઓની સેવા કરવાની અથવા તેઓને માટે આશીર્વાદરૂપ બનવાની તકો શું તમે ઝડપી લીધી હતી ?
- શું તમે પ્રાર્થનાનો સ્પષ્ટ પ્રત્યુત્તર મળેલો જાયો છે ?
સમિક્ષા
(1 min)
આ સત્રમાં સાંભળેલ વિભાગો:
આ સત્રમાં સાંભળેલ સાધનો:
- ઈશ્વર સામાન્ય લોકોનો ઉપયોગ કરે છે
- શિષ્ય અને મંડળીની સરળ વ્યાખ્યા
- ઈશ્વરનું સાંભળવું અને આજ્ઞાપાલન કરવું એ તો આત્મિક શ્વાસોચ્છવાસ છે
- SOAPS બાઇબલ વાંચન
- જવાબદાર જૂથો
NEXT STEP
આધીન
હમણાંથી અને તમારી હવે પછીની મુલાકાતની વચ્ચે S.O.A.P.S. બાઇબલ વાંચનની પ્રેક્ટિસ શરૂ કરો. મેથ્યુ 5-7 પર ધ્યાન આપો, દિવસમાં ઓછામાં ઓછું એક વાર તો જરૂર વાંચો. S.O.A.P.S. પધ્ધતિનો ઉપયોગ કરીને દૈનિક નોધપોથી રાખો.
જણાવવું
એક જવાબદાર ભાગીદાર (સમાન લિંગ) શોધો અને સાપ્તાહમાં એક વાર તેમની સાથે મળવાનું શરૂ કરો.
